Posts

Showing posts from September, 2017

વિશિષ્ટ બાળકોના સંદર્ભે પ્રત્યાયનના કૌશલ્યો

                                      કોર્ષ – ૩૦૨ સમાવિષ્ટ શાળાની રચના વિશિષ્ટ બાળકોના સંદર્ભમાં પ્રત્યાયનના કૌશલ્યો                      “પ્રત્યાયન એટલે વાતચીત”                    વર્ગખંડમાં બાળકો સાથે શિક્ષકો એ શિક્ષકો શાથે બાળકો કરતા હોય તેને પ્રત્યાયન થયું હોય તેમ કહેવાય. વિશિષ્ટ બાળકો અલગઅલગ રીતે પોતાની રજૂઆત કરતા હોય છે. તેને પ્રત્યાયન થયું કહેવાય છે. વિશિષ્ટ બાળકોમાં પ્રતિભાશાળી, મંદ બુદ્ધિ,મુક બધીર,મુંગા,અંધત્વ ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે.દરેક બાળકો સાથે વાતચીત કરવી હોય તો અલગઅલગ પ્રવૃત્તિ કરવી પડે છે.જો વિદ્યાર્થી પ્રતિભાશાળી હોયતો તેને મંદ બુદ્ધિના બાળક સાથે પ્રત્યાયન કરીએ તે રીતે વાતચીત કરવામાં આવેતો તેને સંતોષ થતો નથી,તે તેને હતાશા જેવું લાગે છે. આના કારણે વિશિષ્ટ બાળકની જરૂરીય...

ભારતીય સંસ્કૃતિ...

કોર્ષ – ૩૦૧ જ્ઞાન અને અભ્યાસક્રમ -૧ ભારતીય સંસ્કૃતિ દરેક વ્યક્તિને પોતાના સમાજની અલગઅલગ રીત- રીવાજો હોય છે. આ રીવાજો પેઢીએ પેઢીએથી  ચાલ્યા આવતા હોય છે. દરેક સમાજને તેના પૂર્વજો તરફથી પ્રાપ્ત થાય છે, તે એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ દ્ધારા જ દરેક સમાજનું આગવું મહત્વ હોય છે.સંસ્કૃતિ દ્ધારા જ જે તે સમાજની આગવી છાપ ઉભી થાય છે. દરેક સમાજને આગવી ભાષા, સાહિત્ય, સંગીત, નૃત્ય, જીવન પદ્ધતિ, ખોરાક, પોશાક, આહાર, ટેવો, કાયદા,સમાજનું બંધારણ વગેરે પોતાના પ્રાંત સુધી મર્યાદિત હોય છે. જે તે વિસ્તારના લોકો ગમેતે જગ્યાએ રહે પણ પોતાની સંસ્કૃતિ છોડતા નથી. પોતાના વારસામાં મળેલી ભાષા, નૃત્ય, ખોરાક,પહેરવેશ વગેરે જેવી વસ્તુઓને સાચવી રાખીને સંસ્કૃતિ સંરક્ષણ કરે છે.નવી પેઢીમાં સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવું એ આજની પેઢીની ફરજ છે. આપણે ઈતિહાસમાં વિવિધ સંસ્કૃતિનો અભ્યાસ કરી ચુક્યા છીએ. જેવી કે સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેં-જો-દડોની સંસ્કૃતિ. દુનિયામાં આવી ઘણી સંસ્કૃતિઓ વિકસી છે, પણ કુદરતી આપત્તિઓને કારણે લુપ્ત થઇ છે. સંસ્કૃતિ            સંસ્કૃતિ એટલે સામાન્ય અર...