વિશિષ્ટ બાળકોના સંદર્ભે પ્રત્યાયનના કૌશલ્યો

                                    કોર્ષ – ૩૦૨
સમાવિષ્ટ શાળાની રચના
વિશિષ્ટ બાળકોના સંદર્ભમાં પ્રત્યાયનના કૌશલ્યો 

                   “પ્રત્યાયન એટલે વાતચીત”
                   વર્ગખંડમાં બાળકો સાથે શિક્ષકો એ શિક્ષકો શાથે બાળકો કરતા હોય તેને પ્રત્યાયન થયું હોય તેમ કહેવાય. વિશિષ્ટ બાળકો અલગઅલગ રીતે પોતાની રજૂઆત કરતા હોય છે. તેને પ્રત્યાયન થયું કહેવાય છે. વિશિષ્ટ બાળકોમાં પ્રતિભાશાળી, મંદ બુદ્ધિ,મુક બધીર,મુંગા,અંધત્વ ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે.દરેક બાળકો સાથે વાતચીત કરવી હોય તો અલગઅલગ પ્રવૃત્તિ કરવી પડે છે.જો વિદ્યાર્થી પ્રતિભાશાળી હોયતો તેને મંદ બુદ્ધિના બાળક સાથે પ્રત્યાયન કરીએ તે રીતે વાતચીત કરવામાં આવેતો તેને સંતોષ થતો નથી,તે તેને હતાશા જેવું લાગે છે. આના કારણે વિશિષ્ટ બાળકની જરૂરીયાતો અલગ પ્રકારની હોય છે. સામાન્ય  બાળક કરતા અલગ તરી આવે છે.ક્યારેક બાળક એક કરતા વધુ અક્ષમતા દ્રવી સકતા હોય છે. કેટલાક વિશિષ્ટ જરૂરિયાતોવાળા ઘણા બાળકોમાં મૌખિક પ્રત્યાયન મર્યાદિત હોય છે.આવા બાળકો સાથે વાતચીત કરવી એ પડકારરૂપ જોવા મળે છે.
          વિશિષ્ટ બાળકોના સંદર્ભોમાં પ્રત્યાયનના વિશિષ્ટ કૌશલ્ય નીચે મુજબ દર્શાવવામાં આવે છે.
સંગીત :-
             સંગીત સમગ્ર વિશ્વના લોકોને ગમે છે.અને તેની ભાષા સમજી શકે છે.સંગીત દ્વારા વિશિષ્ટ બાળકોની સાથે પ્રત્યાયન કરવાથી સાર્થક નીવડે છે. સંગીત દ્વારા વિશિષ્ટ બાળકોને ભણવા માટે રસ રુચિ વધારી શકાય છે. કેટલાક બાળકો ઉચ્ચારણ કરી શકતા નથી તેના કારણે તે બાળકો અ શાબ્દિક રીતે પ્રત્યાયન કરે છે, અને જે બાળકો ઉચ્ચારણ કરી શકે છે તે બાળકો શાબ્દિક રીતે પ્રત્યાયન કરે છે. સંગીત એ શિક્ષણ અને વિકાસ માટે ઉત્તમ અને અનંત તકો પૂરી પડે છે.શબ્દોનો ઉપયોગ કર્યા વગર બીજા લોકો સાથે વાતચીત કરવા માટે સંગીત ઉપયોગી બને છે,સંગીત દ્વારા વિશિષ્ટ બાળકોને પ્રત્યાયન કરવા પ્રોત્સાહન બની રહે છે.
 સ્પર્શ:-
                  જે બાળકો જોઈ સકતા નથી કે સાંભળી સકતા નથી તેવા બાળકોને સ્પર્શ કરીને તેમની સાથે વાતચીત કરવા ઉપયોગી નીવડે છે.સ્પર્શ દ્વારા તે બાળકને જે તે વસ્તું માટે ચોક્કસ ખ્યાલ આવે છે.એઓ સ્પર્શ દ્વારા અનુભવી શકે છે.આવા બાળકો માટે સ્પર્શ દ્વારા પ્રત્યાયન વધુ અસરકારક બની રહે છે.
કલા:-
         કલાએ શાબ્દિક કે અશાબ્દિક રીતે જે બોલી સકતા નથી તેવા બાળકો કલા દ્વારા પોતાનું પ્રત્યાયન કરી શકે છે. કલા દ્વારા તેમને ઉત્સાહિત કરી શકાય છે. કલામાં નિષ્ફળ જવાની સંભાવના રહેતી નથી, અને તેઓ હતાશ બનતા નથી.કલા દ્વારા તેનામાં રહેલી લાગણીઓને બહાર લાવવાની પૂરતી તક મળે છે,અને પોતાનું કૌશલ્ય વિકસાવી શકે છે.
શારીરિક હલનચલન :-
          વિશિષ્ટ બાળકને શીખવવા માટે વધુ સમય લાગે છે.તેઓ  વધુ સમયના કારણે પ્રત્યાયનમાં મુશ્કેલી અનુભવે છે.આવા બાળકો માટે શારીરિક હલનચલન એ વ્યસ્ત કરવાનું માધ્યમ છે.વિશિષ્ટ બાળકો શારીરિક હલનચલન દ્વારા અન્ય સાથે પ્રત્યાયન સાધી શકે છે અને કરી શકે છે.
ટેકનોલોજી :-
              જે બાળકો તે બાળકો મોબાઈલ ટેબલેટ્ની સ્ક્રીનનો લખવા માટે ઉપયોગ કરીને પ્રત્યાયન અસરકારક કરી શકે છે.જે બાળકો જોઈ નથી શકતા તે બાળકો પ્રોજેક્ટ પરના વિડીયો દ્વારા સાંભળીને સારું પ્રત્યાયન કરી શકે છે.અંધ બાળકો ઓડિયો દ્વારા પણ સાંભળીને અસરકારક પ્રત્યાયન કરી શકે છે.જે બાળકો ફક્ત બોલી નથી શકતા તે ચિત્ર જોઇને વાક્ય લખીને પ્રત્યાયન અસરકારક રીતે કરે છે.વિશિષ્ટ બાળકને ટેકનોલોજી દ્વારા અધ્યયન કરાવવામાં આવે તો બાળકો ભણવા માટે તત્પર રહે છે, અને યોગ્ય રીતે અસરકારક પ્રત્યાયન કરી શકે છે.
હાવભાવ:-
            જે બાળકો સાંભળી નથી શકતા તેવા બાળકો સાથે વાતચીત કરવા માટે પોતાના હાવભાવ જોઇને બાળક પ્રત્યાયન કરવા તત્પર રહે છે. આ કૌશલ્ય એક બિન મૌખિક માર્ગ છે. આ કૌશલ્ય શ્રવણની ખામી વાળા બાળકો માટે ફાયદાકારક બને છે.આવ બાળકો જો હાવભાવથી સમજી ન શકતા હોય તો તેમને યોગ્ય પદ્ધતિથી સમજાવવું, જેથી કરીને બાળક અસરકારક પ્રત્યાયન કરી શકે,અને વર્ગના બાળકો સાથે અનુકુલન સાંધી શકે.
સાંકેતિક ભાષા :-
       સાંકેતિક ભાષા બહેરા કે શ્રવણની ખામીઓ ધરાવતા બાળકો માટે જ ઉપયોગી છે, તેવું નથી પરંતુ મૂક બધીરના બાળકો માટે પણ તેટલી જ ઉપયોગી છે.આવા બાળકો શબ્દો ઉચ્ચારી શકતા નથી પણ તે સાંકેતિક ભાષા દ્વારા પ્રત્યાયન અસરકારક રીતે કરી શકે છે, અને તેમની હ્તાશની લાગણી દુર કરી શકે છે.

         આમ,વિશિષ્ટ બાળકો સાથે વાતચીત કરવા માટે વિવિધ પ્રત્યાયન કૌશલ્યો આવશ્યક છે. તેથી યોગ્ય તાલીમ લઈ આ કૌશલ્યો વિકસાવી શકાય છે.

Comments

Popular posts from this blog

ભારતીય સંસ્કૃતિ...