ભારતીય સંસ્કૃતિ...

કોર્ષ – ૩૦૧
જ્ઞાન અને અભ્યાસક્રમ -૧
ભારતીય સંસ્કૃતિ
દરેક વ્યક્તિને પોતાના સમાજની અલગઅલગ રીત- રીવાજો હોય છે. આ રીવાજો પેઢીએ પેઢીએથી  ચાલ્યા આવતા હોય છે. દરેક સમાજને તેના પૂર્વજો તરફથી પ્રાપ્ત થાય છે, તે એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ દ્ધારા જ દરેક સમાજનું આગવું મહત્વ હોય છે.સંસ્કૃતિ દ્ધારા જ જે તે સમાજની આગવી છાપ ઉભી થાય છે. દરેક સમાજને આગવી ભાષા, સાહિત્ય, સંગીત, નૃત્ય, જીવન પદ્ધતિ, ખોરાક, પોશાક, આહાર, ટેવો, કાયદા,સમાજનું બંધારણ વગેરે પોતાના પ્રાંત સુધી મર્યાદિત હોય છે. જે તે વિસ્તારના લોકો ગમેતે જગ્યાએ રહે પણ પોતાની સંસ્કૃતિ છોડતા નથી. પોતાના વારસામાં મળેલી ભાષા, નૃત્ય, ખોરાક,પહેરવેશ વગેરે જેવી વસ્તુઓને સાચવી રાખીને સંસ્કૃતિ સંરક્ષણ કરે છે.નવી પેઢીમાં સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવું એ આજની પેઢીની ફરજ છે. આપણે ઈતિહાસમાં વિવિધ સંસ્કૃતિનો અભ્યાસ કરી ચુક્યા છીએ. જેવી કે સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેં-જો-દડોની સંસ્કૃતિ. દુનિયામાં આવી ઘણી સંસ્કૃતિઓ વિકસી છે, પણ કુદરતી આપત્તિઓને કારણે લુપ્ત થઇ છે.
સંસ્કૃતિ
           સંસ્કૃતિ એટલે સામાન્ય અર્થ કરીએ તો સંસ્કારોનું સિંચન.
સંસ્કૃતિ શબ્દ સંસ્કૃત શબ્દ  सम+क् પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતિ એ માનવીના જીવનની વિકાસની ગાથા છે એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે.સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક ચિત્ર છે. સંસ્કૃતિ સમાજને એક તાંતણે બધી રાખે છે. આપણા ઈતિહાસમાં  ભારતની અનેક સંસ્કૃતિ જોવા મળે છે, જેમ કે દ્રવિડ સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ, જૈન સંસ્કૃતિ, બૌદ્ધ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ, સિંધુ ખીણ સંસ્કૃતિ, મોહેં-જો-દડોની સંસ્કૃતિ વગેરે  સંસ્કૃતિઓ વિકસી હતી. વેદો, વેદાંતો, ઉપનિષદો, આરણ્યકો,પુરાણો, ગીતા, રામાયણ, મહાભારત વગેરે આપણો વારસો છે. ભારતીય સંસ્કૃતિમાં કલા, કૌશલ્ય, ઉદ્યોગો, વિજ્ઞાન અને ખેતીએ ભારતને વારસામાં મળેલી છે,તેથી જ તો ભારત ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો. આજે પશ્ર્વિમી સંસ્કૃતિના કારણે ખેતી પ્રધાન દેશ આધુનીક થઈ રહ્યો છે.
અર્થ
            “ જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ ”
     “પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ”  - વિનોબા ભાવે આ વાક્ય ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નામના ચરિત્ર નિબંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
વ્યાખ્યા
           “ લોકોનું એક જૂથ,એક રાજ્ય અથવા એક રાષ્ટ્રના સભ્યોની સામાજિક, બૌદ્ધિક, કલા, રાજ્યવહીવટ અને ઔદ્યોગિક વિકાસ વિષયક સિદ્ધિઓનો સરવાળો તે તેની સંસ્કૃતિ.”
-     કાકા કાલેલકર
           “ Culture is the way of life”                                                             -  John Adams
                  “Culture is a total behavior of the group of a society”               - Brown                                                     
        કોઈ વિશિષ્ટ સમયમાં વિશિષ્ટ સ્થળે નિવાસ કરનાર વિશિષ્ટ લોકોની જીવન વ્યતીત કરવાની જીવનશૈલીને સંસ્કૃતિ કહેવામાં આવે છે.                 
-     રસ્ક
     “ સંસ્કૃતિ એ મૂર્ત અને અમૂર્ત એવી લોકોના એક જૂથ કે સમૂહની સિદ્ધિઓ છે, જે એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થાય છે અને વિરાસત તરીકે ઓળખાય છે.”
-     ઈન્દિરા ગાંધી
ભારતીય સંસ્કૃતિ
             ભારત પાસે ભવ્ય પ્રાચીન સાંસ્કૃતિક વારસો મળેલો છે. ભારતીય સંસ્કૃતિ લગભગ ૫૦૦૦ વર્ષ કરતા પણ જૂની છે, ભારતીય સંસ્કૃતિ આપણને ઋષિમુનીઓ દ્વારા મળેલ છે. આપણી સંસ્કૃતિના પ્રાચીન કાળમાં વેદો, વેદાંત, ઉપનિષદો, આરણ્યક, પુરાણો, શાસ્ત્રો વગેરેનો ઉલ્લેખ થયેલો છે. ભારતીય સંસ્કૃતિમાં અન્ય ઘણી સંસ્કૃતિઓ આવી છે. જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણને હસ્તકલા,ચર્મકલા, ચિત્રકલા જેવી કલાઓ મળેલ છે.

          ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન વિદ્યાપીઠોમાં આયુર્વેદ,કૃષિવિજ્ઞાન, સંગીત, સર્પવિદ્યા,ન્યાય, ઔષધશાસ્ત્ર એવા ઘણા વિષયો શીખવવામાં આવતા હતા, ભારતીય સંસ્કૃતિમાં સંગીતનું ઘણું મહત્વ હતું. તાનસેન અકબરના દરબારમાં સંગીતકાર હતો.દિવાળીના દિવસે દીપક રાગ ગાઈને દીવડા પ્રગટાવ્યા હતા.અને આના કારણે તેને અસંખ્ય પીડા થઈ હતી,આના કારણે તે દેશાંતર કરવા લાગ્યો હતો અને તે ફરતો ફરતો ગુજરાતમાંના વડનગર ગામમાં આવ્યો હતો, અને ત્યા તાનારીરી એ મલ્હાર રાગ ગાઈને તેની બળતરા દુર કરી હતી.

Comments

Post a Comment

Popular posts from this blog

વિશિષ્ટ બાળકોના સંદર્ભે પ્રત્યાયનના કૌશલ્યો